ગુજરાત
News of Saturday, 24th October 2020

કૃષિ સહાય પેકેજના અમલ ગતિમાં

૭II લાખથી વધુ ખેડૂતોને રૂ.૬૧૩ કરોડ ચૂકવાયા

રાજકોટ તા.ર૪ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલ ખેડૂતો માટેના ૩૭૦૦ કરોડ અતિવૃષ્ટિ પેકેજનો અમલ પહેલા નોરતાથી થયો છે.

કૃષિ વિભાગના સચિવ શ્રી મનીષ ભારદ્વાજે અકિલાને જણાવ્યા મુજબ આજે સવાર સુધીમાં ૧૬,૧૪,ર૮૮ ખેડૂતોએ સહાય માટે ઓનલાઇન અરજી કરી છે. જેમાંથી ૭, ૬૮, ૦પ૭ ખેડુતોને રૂ. ૬૧૩ કરોડ જેટલી રકમ ચૂકવાઇ ગઇ છે. નોંધણી હજુ ચાલુ છે. દરરોજ સરેરાશ બે લાખ ખેડૂતોના ખાતામાં સહાયના નાણા જમા થયા તે રીતે પ્રક્રિયામાં ગતિ આવી ગઇ છે.

(11:40 am IST)