ડાકોરમાં ધોધમાર વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા :મંદિરના મુખ્ય દરવાજા પાસે પાણી પહોંચ્યા
શહેરમાં રાજકારણીઓ ચૂંટણીમાં વ્યસ્ત અને પ્રજા પરેશાનીઓથી ત્રસ્ત
ડાકોરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. વરસાદના કારણે ડાકોર મંદિરના મુખ્ય દરવાજા પાસે પાણી ભરાયા હતા. આ કારણે મંદિરમાં આવતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડાકોરના સોસાયટી વિસ્તાર ગોપાલપુરા વિસ્તાર, ગણેશ ટોકીઝ પાસે પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. જાહેર છે કે ભાદરવા મહિનામાં વરસાદે માજા મૂકી છે તેની અસર્માનવ જીવન પર પડી રહી છે. ઉપરાંત ઘણી જગ્યાએ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે.
ડાકોરમાં નગર પાલિકાની બેદરકારીને કારણે અવારનવાર સામાન્ય વરસાદમાં પણ ભરાઈ જાય છે. અને તેના કારણે ઢીંચણ સુધીના પાણીમાં લોકોને ચાલવું પડે છે. એટલું જ નહીં વરસાદના કારણે ડાકોર મંદિર આજુબાજુ પણ પાણી ભરાયેલા જોવા મળે છે. એક તરf ડાકોર શહેરમાં રાજકારણીઓ ચૂંટણીમાં વ્યસ્ત અને પ્રજા પરેશાનીઓથી ત્રસ્ત છે