રાજપીપળામાં નહેરૂયુવા કેન્દ્ર દ્વારા આગામી ૨૫ મી એ " ફ્રીડમ રન" માટે યુવક યુવતીઓને ભાગ લેવા આહવાન
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકાર યુવા કાર્ય ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા અમૃત મહોત્સવ કાર્યક્રમ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતિ અંતર્ગત આગામી તા.૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ફ્રીડમ રનનો કાર્યક્રમ રાખમાં આવ્યો છે. જેમાં નર્મદા જિલ્લાના બધા યુવક યુવતી અને રમતવીરો NSS, NCC ના વિદ્યાર્થીઓ આ "ફ્રીડમ રન" માં ભાગ લે એ માટે નહેરૂયુવા કેન્દ્ર નર્મદા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેના રજીસ્ટ્રેશન માટે નહેરુ યુવા કેન્દ્ર નર્મદા વડિયા, ખાતે આવેલ કચેરીમાં રૂબરૂ આવી નોંધાવી શકાશે અથવા જિલ્લા યુવા અધિકારી વી.બી તાયડેના મોબાઈલ નંબર ૯૪૨૮૪૧૪૯૨૬ પર પણ વોટ્સએપ કરી પોતાનું નામ, ઉમર સહિતની માહિતી નોંધાવાની રહેશે, ભાગ લેનાર તમામ દોડવીરોને નહેરૂયુવા કેન્દ્ર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.