ગુજરાત
News of Thursday, 24th September 2020

નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામના ખેતર માંથી ગુમ થયેલા અપંગ યુવાનની શોધખોળ કરતી આમલેથા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામમાં રહેતા સુનિલભાઇ અલખામ ભાઇ વસાવા (ઉ.વ.26) તારીખ 20 સપ્ટેમ્બરે પોતાના ઘર નજીક આવેલા જુવાર વાળા ખેતર માંથી કોઈને પણ કહી કહ્યા વગર ક્યાંક જતો રહ્યા બાદ તે મોડી સાંજ સુધી પરત ઘરે ન ફરતા પરિવારના લોકો એ તેની ઘણી શોધખોળ કર્યા બાદ પણ કોઈજ પત્તો ન લાગતા આજરોજ આમલેથા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા બાબતે જાણ કરતા પોલીસે જાણવા જોગ દાખલ કરી આ યુવાનની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

 આમલેથા પોલીસ માંથી જાણવા મળ્યા મુજબ ગુમ થયેલો સુનિલ વસાવા ડાબા હાથે અને ડાબા પગે અપંગ હતો પરંતુ અચાનક ચાર દિવસ થી ગુમ થતા આ બાબતે પરિવારજનો એ જાણ કરતા તપાસ હાથ ધરી છે.

(8:02 pm IST)