આણંદ: મોગરમાં પાણી ઢોળવા જેવી બાબતે થયેલ ઝઘડામાં ઉશ્કેરાયેલ શખ્સે ચપ્પુથી જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ
આણંદ:મોગરમાં પાણી ઢોળવા મામલે થયેલ ઝઘડામાં ઉશ્કેરાયેલા ઇસમે એક વ્યકિતને કાનની નીચે ચપ્પુ માર્યુ હતું. જયારે અન્ય બે ઇસમોને લોખંડના સળિયાથી માર માર્યાની ફરિયાદ નોંધાઇ હતી.
મળતી વિગતોમાં મોગરમાં આવેલ સત્યેન્દ્ર પેકેજીંગ કંપનીમાં ક્રિષ્ણાભાઇ માહલુ નોકરી કરે છે અને કંપનીમાં આવેલ ઓરડીમાં રહે છે. ગત ર૧મીની રાત્રિના સાડા દસેક વાગ્યાના સુમારે સત્યેન્દ્ર, ફુલચરણ અને રામરાજ ક્રિષ્ણાભાઇની ઓરડી પાસે આવ્યા હતા. આ ત્રણેયએ ગાળાગાળી કરીને અમારી ઓરડી પાસે પાણી કેમ ઢોળો છો કહીને ઝઘડો કર્યો હતો.
દરમ્યાન નરેશપાલે ઉશ્કેરાઇને ક્રિષ્ણાભાઇના કાનની નીચે ચપ્પાનો ઘા કર્યો હતો. જયારે રામરાજ અને ફુલચરણે પ્રકાશભાઇ અને અમિતભાઇને લોખંડના સળિયા અને ગડદાપાટુનો માર માર્યો હતો. બૂમબરાડા થતા નજીક રહેતા લોકો આવી પહોંચતા ત્રણેય ત્યાંથી રવાના થઇ ગયા હતા. ત્યારબાદ તે ત્રણેયનું ઉપરાણું લઇને અન્ય લોકો આવ્યા હતા અને ક્રિષ્ણાભાઇ સહિતનાઓને માર માર્યો હતો. આ અંગે ક્રિષ્ણાભાઇએ ફરિયાદ નોંધાવતા વાસદ પોલીસે છ વ્યકિતઓ સામે ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.