ગુજરાત
News of Thursday, 24th September 2020

બાયડ તાલુકાના દખણેશ્વર ગામમાં મકાનની જર્જરિત દીવાલ ધરાશાયી થતા 55 વર્ષીય આધેડનું દટાઈ જતા મૃત્યુ

બાયડ: તાલુકાના દખણેશ્વર ગામના સવારના સુમારે એક મકાનની જર્જરીત દિવાલ ધરાશાયી થતા ૫૫ વર્ષના બાબુભાઈ પુંજાભાઈ રાવળ દિવાલ પડતા નીચે દબાઈ જવા પામ્યા હતા. જો કે દિવાલના કાટમાળ નીચે દબાયેલ ૫૫ વર્ષીયના વૃદ્ધના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર મળે તે પુર્વક કરૂણ મોત નીપજતા સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.

દખણેશ્વર ગામના રાવળ વાસમાં રહેતા  એક મકાનની જર્જરીત દિવાલ સવારના સુમારે અચાનક ધરાશાયી  થઈ હતી. દરમ્યાન ૫૫ વર્ષીય વૃદ્ધને દિવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જો કે સ્થાનિકોએ બુમરાણ મચાવતા ગ્રામજનો ઘટના સ્થળે  એકત્ર થઈ ગયા હતા દિવાલ નીચે કાટમાળ ખસેડી ને બાબુભાઈ પુંજાભાઈ રાવળ વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યો હતો.

(5:34 pm IST)