સુરત: રાજસ્થાનનો વેપારી પુણાના સીતાનગનર વેપારી પાસેથી 9.24 લાખની લેસપટ્ટીનો માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવી દુકાનદાર ફરાર
સુરત: શહેરના પુણા ગામ હરીધામ સોસાયટીમાં માજીસા લેસના નામે દુકાન ધરાવતો રાજસ્થાની વેપારી પુણા સીતાનગરના લેસપટ્ટીના વેપારી પાસેથી રૃ.9.24 લાખનો માલ ખરીદી બાદમાં પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં પુણા ગામ બીઆરટીએસ બસ સ્ટેશન પાસે રંગ અવધૂત સોસાયટીમાં રહેતા બ્રિજેશભાઈ કિશોરભાઈ સાવલિયા પુણા સીતાનગર નેતલ કોમ્પ્લેક્ષમાં મયુર લેસના નામે લેસપટ્ટીનો વેપાર કરે છે. એક વર્ષ અગાઉ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પુણા ગામ બોમ્બે માર્કેટ રોડ અર્ચના સ્કૂલની સામે હરીધામ સોસાયટી દુકાન નં.5 માં માજીસા લેસના નામે છેલ્લા 12 વર્ષથી લેસપટ્ટીનો વેપાર કરતા ખૂમારામ ગમનારામ ચૌધરી બ્રિજેશભાઈની દુકાને આવ્યા હતા અને પોતાની ઓળખ આપી શરૃઆતમાં રોકડમાં લેસપટ્ટીનો માલ ખરીદ્યો હતો.