અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફના 60 સભ્યોને ડેન્ગ્યુ !!
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફના 60 સભ્યોને ડેન્ગ્યુ થયો છે. સોમવારે એક જ દિવસમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા હતા. મ્યુનિ.ના હેલ્થ વિભાગે અગાઉ સિવિલ હોસ્પિટલને 3 વખત નોટિસ આપી મચ્છરોના પોરાનો નાશ કરવાની સૂચના આપી હતી
. બીજી તરફ શહેરના ઘાટલોડિયા, ગોતા, વટવા, લાંભા, ઇસનપુરમાં મચ્છરોની ડેન્સીટી અત્યંત વધુ આવી છે. શહેરના અન્ય વિસ્તારમાં કોઈ એક ચોક્કસ સમયે 10x10ના રૂમમાં 1થી 3 મચ્છરના હાજરી છે જ્યારે ઈનસપુર લોટસ સ્કૂલ પાછળના વિસ્તારમાં મચ્છરની ડેન્સીટી 4.8 જોવા મળી છે. એ જ રીતે લાંભામાં આ પ્રમાણ 3.1નું છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તાજેતરમાં જ મ્યુનિ.એ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મચ્છરો મળી આવતા તેને દંડ કરાયો હતો. 22 સપ્ટેમ્બરે સિવિલમાં મચ્છરોની ડેન્સીટી 5.25 અને ડેન્ગ્યુના મચ્છરોની ડેન્સીટી પણ 1 હતી.