News of Monday, 24th September 2018
ઓલપાડના સાયણમાં ગણેશ વિસર્જનમાં થયેલ બોલાચાલીમાં ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો
ઓલપાડ: તાલુકાના સાયણ ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા ચાલતી હતી ત્યારે ઉમરાથી સાયણ જતા મારૂતિવાન ચાલકે એક ગણેશ ભક્ત પર વાનનું વ્હીલ ચડાવી દેતાં ઝઘડો થયો હતો. મારૂતિવાન ચાલકે ઝઘડો કરી ૪થી ૫ યુવાનો પર ચપ્પુથી હુમલો કરતાં એક યુવાનનું મોત થયું હતું.
પોલીસે પકડેલા મારૂતિવાન ચાલકને સોંપી દેવાની માંગ સાથે લોકટોળાએ પોલીસ ચોકી પર પહોંચી પથ્થરમારો કરતાં પોલીસને ઇજા થઇ હતી. પોલીસના વાહનોની પણ લોકોએ તોડફોડ કરી હતી.
(3:32 pm IST)