નડિયાદમાં તસ્કરોએ બંધ મકાનમાંથી અડધા લાખથી વધુની મતાનો હાથફેરો કર્યો
નડીયાદ: શહેરના પશ્વિમના રામતલાવડી વિસ્તારમાં બંધમકાનમાં ત્રાટકેલા તસ્કરો સોનાના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂા. ૫૧,૦૦૦ ની મતા ચોરી ગયા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ પશ્વિમ સેફોને વીલા કમલેશ પાર્ક રામતલાવડી વિસ્તારમાં અતુલભાઇ મૂળજીભાઇ કિશ્વિયન રહે છે. ગત મધરાતે ૧૧ થી તા. ૨૩/૦૯/૨૦૧૮ ના સવારના પાંચ વાગ્યાના સમય દરમ્યાન કોઇપણ સમયે કોઇ તસ્કરો અતુલભાઇના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ મુખ્ય રૂમમાં મૂકેલ તિજોરીનું તાળું તોડી સોનાના દાગીના રૂા. ૫૦,૦૦૦ તા રૂા. ૧૦૦૦ રોકડા મળી કુલ રૂા. ૫૧,૦૦૦ની મતા ચોરી ગયા હતા. આ બનાવ જાણ થતા નડિયાદ પશ્વિમ પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી હતી.