News of Monday, 24th September 2018
મહીસાગર નદીમાં ગણેશ વિસર્જન : તંત્ર દ્વારા તકેદારીની વ્યવસ્થા
વડોદરા :વડોદરા નજીક આવેલ મહીસાગર નદીમાં વડોદરા શહેર અને જિલ્લાની શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી
દુંદાળા દેવ ગણપતિ દાદાને ઢોલ, નગારા, ત્રાંસાના તાલે ભક્તોએ ભાવભીનિ વિદાય આપી હતી.વડોદરા શહેર અને જીલ્લાનાં અનેક શ્રીજી મંડળો દ્રારા વડોદરા નજીક આવેલ ફાજલપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાની મોટી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.
(9:31 pm IST)