ગુજરાત
News of Saturday, 24th August 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્મંત્રીશ્રી એ સ્વ.અરૂણ જેટલીએ ગુજરાત માંથી રાજ્ય સભા ના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું તેની યાદ તાજી કરી હતી. રાજ્ય સભા સાંસદ તરીકે તેમણે વડોદરા જિલ્લા ના ચણોદ કરનાળી યાત્રાધામ ના સર્વગ્રાહી વિકાસ માટે સાંસદ આદર્શ ગામ તરીકે તેના વિકાસ માં આપેલા યોગદાન ની સરાહના પણ મુખ્યંત્રીશ્રીએ કરી છે. વિજય ભાઈ રૂપાણી એ પૂર્વ નાણાં મંત્રી ને શોકાંજલી પાઠવતા કહ્યું કે અરૂણ જેટલી એ દેશના નાણાં મંત્રી તરીકે આર્થિક સુધારણા અને નાણાકીય શિસ્ત ક્ષેત્રે પહેલ રૂપ નિર્ણયો કર્યા હતા તે સદાકાળ યાદ રહેશે. તેમના નિધન થી ભારતીય જનતા પાર્ટીએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રી સદગત ના આત્મા ની પરમ શાંતિ ની પ્રાર્થના કરતા ઉમેર્યું હતું.

(5:28 pm IST)