ગુજરાત
News of Saturday, 24th July 2021

મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલનો નવસારીમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

નવસારી જિલ્લાની સામાજિક ઍવમ શૈક્ષણિક સંસ્થા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ : વનમંત્રી રમણલાલ પાટકર, નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ,નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહયાં

મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદો સંભાળ્યા બાદ પહેલી વખત નવસારી આવતા મહામહિમ શ્રી મંગુભાઇ પટેલનું નવસારી જિલ્લાની સામાજિક ઍવમ શૈક્ષણિક સંસ્થા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતું.
નવસારીના બી.આર.ફાર્મ ખાતે મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલના આ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાજયના વનમંત્રી રમણલાલ પાટકર, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહયાં હતાં.
આ અવસરે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ ઘરનો દિકરો આજે મહામહિમ રાજયપાલ બની જાય તેવી કોઇ કલ્પના કરી ન હતી. નવસારીના માટે તો હું દિકરો છુ ભાઇ છુ, મોટોભાઇ છું પછી રાજયપાલ છું તેમ જણાવ્યું હતું. નવસારીઍ જે મને પ્રેમ આપ્યો છે તે અનહદ આપ્યો છે. રાજયપાલશ્રીઍ નવસારી નગરપાલિકામાં વર્ષ ૧૯૮૨ માં સભ્યપદથી રાજકીય સફર શરૂ કરી હતી. ત્યારબાદ નવસારી અને ગણદેવીના ધારાસભ્ય તરીકે રહયા હતાં. મને મળેલા મારા મા-બાપના સંસ્કાર તેમજ રાષ્ટીય સંઘ થકી જીવનમાં ઉતારવા માટે ઘણુબધુ ભાથુ મળ્યું છે તેમ જણાવ્યું હતું. પોતાની રાજકીય કારકિર્દીમાં ખૂબ જ ધીરજ રાખી કામગીરી કરી હતી. તેઓની લાંબી કારકિર્દી દરમિયાન કડવા-મીઠા અનુભવો વાગોળ્યા હતાં.
આ પ્રસંગે વન અને આદિજાતિ વિભાગના રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજયપાલ મંગુભાઇ પટેલ ખૂબ જ નિખાલસ સ્વભાવના છે. તેઓઍ જીવનમાં દરેક ચડતી-પડતી પરિસ્થિતિ જાઇ છે. તેઓની કારકિર્દીમાં કોઇ દાગ લાગ્યો નથી. મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ તરીકે જે હો્દો મળ્યો તે નવસારી જિલ્લા માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે.

(9:36 pm IST)