News of Thursday, 24th June 2021
અમદાવાદમાં મોસાળમાં ભગવાન પંદર દિવસ સુધી રોકાશે : સરસપુરમાં ભક્તિમય માહોલ : અમાસના દિવસે ભગવાન જગન્નાથજી મંદિરે પરત પધારશે
અમદાવાદ : જેઠ સુદ પૂનમથી જેઠ વદ અમાસ સુધી ભગવાન મામાના ઘરે રોકાશે.. ભાણેજ મામાના ઘરે આવ્યા હોય સરસપુરમાં હર્ષોલ્લાસનો માહોલ.. કોરોનાની ગાઇડ લાઇનને લઈ આ વર્ષે ભજન મંડળી દ્વારા ૧૫ દિવસનો ભજનનો કાર્યક્રમ બંધ.. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે પધાર્યા છે.. મોસાળમાં ભગવાન ૧૫ દિવસ સુધી રોકાશે.. ભગવાનના આગમનથી સરસપુરમાં ભક્તિમય માહોલ.. અમાસના દિવસે ભગવાન જગન્નાથ મંદિર પરત પધારશે..
(6:18 pm IST)