News of Thursday, 24th June 2021
નર્મદા જિલ્લામાં બુધવારે ૦૨ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૮૯ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં નાંદોદ તાલુકામાં વિરપોર ૦૧ તથા દેડિયાપાડા તાલુકામાં ઝરણાવાડી ૦૧ કેસ સાથે જિલ્લામાં ૦૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૧ દર્દી સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૨ દર્દી દાખલ છે. આજે ૦૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૨૩૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૮૯ પર પહોચ્યો છે.આજે વધુ ૧૦૦૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(1:04 am IST)