ગુજરાત રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસના ત્રણ નામ નક્કી
બાલુભાઈ પટેલ, કરસનદાસ સોનેરી અને મનીષ દોશીના નામ નક્કી :મનમોહનસિંહને પણ ઉમેદવાર બનાવાય તેવી શકયતા
અમદાવાદ 'ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે રાજ્યસભાના બે ઉમેદવાર માટે ત્રણ નામ નક્કી કર્યા છે. જેમાં બાલુભાઈ પટેલ, કરસનદાસ સોનેરી અને મનીષ દોશીના નામ નક્કી કરાયા છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોંગ્રેસની તરફેણમાં ન આવે તો ત્રણ પૈકી બે ઉમેદવાર ફોર્મ ભરશે. અને જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોંગ્રેસની તરફેણમાં આવે તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે.
ગાંધીનગર સરકીટ હાઉસમાં રાજ્યસભાની પેટાચૂંટણીના ઉમેદવારને લઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં પક્ષના તમામ ધારાસભ્યોની બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં ધારાસભ્ય ધવલસિંહ અને બહુચરાજીના ભરતજી ઠાકોર ગેરહાજરી સૂચક માનવામાં આવી રહી છે.
આ ઉપરાંત વિક્રમ માડમ, મોહન વાળા, ગ્યાસુદ્દીન શેખ અને ક્રાંતિ ખરાલી પણ ગેરહાજર રહ્યા હતા. જોકે આ ચાર ધારાસભ્યોએ અગાઉથી પરેશ ધાનાણી અને અમિત ચાવડાને ગેરહાજર રહેવા અંગે જાણ કરી હતી.