અમદાવાદના સાબરમતી બ્રિજ નીચે ઝૂંપડપટ્ટીમાં પાટલા -ચંદન ઘો અને કાચબાની તસ્કરી ઝડપાઇ
અમદાવાદ:શહેરના સાબરમતી ચીમનભાઈ બ્રીજ નીચે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાટલા ઘો ચંદન ઘો તેમજ કાચબાની તસ્કરી થતી હોવાની આશા ફાઉન્ડેશનના જગદીશભાઈ વાઘેલાને માહિતી મળતા સાબરમતી પોલીસને સંયુક્ત ઉપક્રમે સાથે રાખીને રેડ કરતા સિંગાપુર કાચબો તેમજ પાણીનો કાચબો તેમજ પાટલા ઘો તેમજ ચંદન ઘો પકડવામાં આવ્યાં હતાં. તેમજ આ ચંદન ઘોને પાટનગર વન વિભાગને સોંપવામાં આવી હતી.
અમદાવાદના સાબરમતી ચીમનભાઈ બ્રીજ નીચે આવેલી ઝૂંપડપટ્ટીમાં છેલ્લા કેટલાક સમયથી પાટલા ઘો ચંદન ઘો તેમજ કાચબાની તસ્કરી થતી હોવાની આશા ફાઉન્ડેશનના જગદીશભાઈ વાઘેલાને માહિતી મળી હતી. આ માહિતીના આધારે સાબરમતી પોલીસને સંયુક્ત ઉપક્રમે સાથે રાખીને કરવામાં આવેલી રેડ દરમિયાન સિંગાપુર કાચબો તેમજ પાણીનો કાચબો તેમજ પાટલા ઘો તેમજ ચંદન ઘો પકડવામાં આવ્યાં હતાં. તેમજ આ ચંદન ઘોને પાટનગર વન વિભાગને સોંપવામાં આવી હતી.