ગુજરાત
News of Monday, 24th June 2019

સુરત અગ્નિકાંડના મહિના બાદ તક્ષશિલા આર્કેડના દુકાનદારોએ શાંતિ હવન કરી વેપાર શરૂ કર્યો

સુરતના તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડને આવતીકાલે એક મહિનો પૂર્ણ થઈ જશે. અત્યાર સુધી આ સમગ્ર કોમ્પ્લેક્ષ બંધ હતુ. પરંતુ ધીમે ધીમે આર્કેડની દુકાનો શરૂ થવા લાગી છે. કેટલાક દુકાનદારો આજે શાંતિ હવન કરાવતા જોવા મળ્યા હતા. આજે ત્રીજા અને ચોથા માળની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે ચારે બાજુ રાખ જોવા મળી હતી.

બાળકોના ચપ્પલ અને કપડા હજુ પણ ત્રીજા અને ચોથા માળે જોઈ શકાય છે. ચોથા માળે જ્યાં ડોમ બનાવવામાં આવ્યો હતો. એ ગેરકાયદે ડોમ નીચે બાળકો કેનવાસમાં રંગ ભરી રહ્યા હતા. અને અચાનક આગ લાગી હતી. જ્યાં જીવતા બાળકો સળગી ગયા હતા. અને કેટલાક જીવ બચાવવા આર્કેડની નીચે કૂદી ગયા હતા. કૂદી જનાર બાળકોમાંથી પણ કેટલાક બાળકો સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા.

(6:41 pm IST)