News of Friday, 24th May 2019
સુરતમાં આગની દુર્ઘટનાની સંપૂર્ણ તપાસનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આદેશ :ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા સૂચના
શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મૂકેશ પૂરીને સૂચનાઓ આપી
અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતમાં સરથાણામાં ટયૂશન કલાસમાં લાગેલી આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે.
મુખ્યમંત્રીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.
(8:36 pm IST)