ગુજરાત
News of Friday, 24th May 2019

સુરતની ઘટનામાં વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું :મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી :સરકારને ઝડપી મદદની તાકીદ

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા 18 જેટલા માસુમ બાળકોના મોત થયા છે આગ લાગ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી જેઓનું નીચે પટકાયા બાદ મૃત્યું હતું. તો સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્તિ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ સુરત દુર્ઘટના અંગે ટ્વીટ કર્યું કે સુરતમાં બનેલી ઘટનાથી હું આઘાતમાં છું. મૃતકના પરિવારજનો પ્રત્યે હું સંવેદના જાહેર કરું છું. તથા ઘાયલો ઝડપથી સાજા થાય તથા ગુજરાત સરકાર સાથે મે વાત કરી બને તેટલી ઝડપથી મદદ પહોંચાડવામાં આવે.

(8:13 pm IST)