ગુજરાત
News of Friday, 24th May 2019

સુરતમાં 11 મહિના અગાઉ ગુમ થયેલ બમરોલીના યુવાનની ભેદી સંજોગોમાં લાશ મળી આવી

સુરત: શહેરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતદેહના ફોટાઓનું પ્રદર્શન થયા બાદ 11 મહિના પહેલા ગુમ થયેલો બમરોલીના યુવાન પરિવારજનો શોધખોળ કરતા હતા. તે ટ્રેન અડફેટે આવતા મોત થયું હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યુ હોવાનું તેમના પરિવારને ખબર પડતાં હેબતાઈ ગયા હતા.

અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનુ વિનામૂલ્યે, ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેમજ બિનવારસી લાશની ઓળખ થાય તે માટે બિનવારસી મુદ્દે ના ફોટા પ્રદર્શન આયોજન દર વર્ષે કરવામાં આવે છે. 

(5:21 pm IST)