કોંગ્રેસના પરિવારવાદ સામે ભાજપના કાર્યકર્તાવાદની જીતઃ મનસુખ માંડવિયા
રાજકોટ, તા. ૨૪ :. ભારત સરકારના રાજ્ય કક્ષાના ભૂમિ પરિવહન મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવ્યો છે.
શ્રી માંડવિયાએ જણાવેલ કે આ જીત મોદીના નેતૃત્વની જીત છે. કેન્દ્ર સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકેલ તેના લાભાર્થી લોકોના ભરોસાની જીત છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં કામ કરી રહેલા દેશના કરોડો કાર્યકરોના અથાક પરિશ્રમનો વિજય થયો છે. મોદી સરકારની ન્યુ ઈન્ડીયાની પરિકલ્પના જીતી છે. વડાપ્રધાન મોદી અને દેશવાસીઓ વચ્ચેનો રસ્તો વધુ મજબુત થયો છે. કોંગીના જાતિવાદ વિરૂદ્ધ ભાજપના વિકાસવાદની અને કોંગ્રેસના પરિવારવાદની સામે ભાજપના કાર્યકર્તાવાદની જીત છે. ધર્મ અને જાતિના નામ પર સમાજમાં વિભાજન કરાવતી રાજનીતિ સામે ભાજપના સબ કા સાથ, સબ કા વિકાસના અભિગમ તરફી જનાદેશ છે. કોંગ્રેસના નકારાત્મક મુદ્દા સામે ભાજપના સકારાત્મક મુદ્દાની જીત થઈ છે.