રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીના પુત્રોનો પરાજય :ભરતસિંહ સોલંકી આણંદ અને અને તુષાર ચૌધરી બારડોલી બેઠક પરથી હારી ગયા
અમદાવાદ :લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે જેમાં કોંગ્રેસની ટિકિટ પરથી લડતા રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીના પુત્રોનો પરાજય થયો છે અને રાજ્યની તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે .
કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોંગ્રેસે ફરી આણંદથી ટિકિટ આપી હતી ભરતસિંહ સામે પિતા માધવસિંહ સોલંકી અને નાના ઈશ્વરસિંહ ચાવડાની શાખ બચાવી રાખવાનો મોટો પડકાર હતો, ભાજપે સ્થાનિક ઉદ્યોગપતિ મિતેષ પટેલને તક આપી યુવા નેતૃત્વને સ્થાન આપ્યું હતું મિતેષભાઈએ જીત મેળવી દિગ્ગજ નેતાને હારવવાની સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દિકરાને હાર આપી છે.
બીજી તરફ એસટી માટે અનામત બારડેલી બેઠક પર આદિવાસી ઉમેદવાર જ જીતતો આવ્યો છે. આ વખથે ભાજપના પ્રભુ વસાવાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીની કરારી હાર થઈ છે. કોંગ્રેસના તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના પુત્ર થાય છે.જેથી ગુજરાતના બીજા એક પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીના પુત્રની હાર થઈ છે.