અમદાવાદમાં કેનાલમાં કચરો નાખતા એક વ્યક્તિને અધિકારીઓ ભણાવ્યો પાઠ
અમદાવાદઃઅમદાવાદમાં કચરો જ્યાં ત્યાં ફેંકનાર માટે ચેતવવા જેવી ઘટના બની છે શહેરનાં પૂર્વ વિસ્તારમાં કેનાલની સફાઈ કામગીરી સમયે એક વ્યક્તિએ કેનાલમાં કચરો નાખતા તેનો ઉધડો લઈ લીધો હતો અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં ડિરેક્ટરે કેનાલમાં કચરો નાખનાર વ્યક્તિને પાઠ ભણાવ્યો હતો
શહેરમાં હાલ સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલોની સાફ સફાઈ સતત ચાલી રહી છે. ત્યારે અધિકારીની નજર સામે જ એક વ્યક્તિએ કેનાલમાં કચરો નાખ્યો.હતો જેથી હર્ષદ સોલંકી નામના એક અધિકારી રોષે ભરાયા અને કચરો નાખનારને પાઠ ભણાવ્યો હતો
સ્વચ્છતા અભિયાન જાળવવા માટે આ અધિકારીએ કચરો નાખનાર વ્યક્તિને કેનાલમાં ઉતાર્યો અને કેનાલમાં નાખેલો કચરો તેની પાસે જ સાફ કરાવ્યો. આ ઘટના કેનાલમાં કચરો નાખનાર લોકોને ચેતવવા સમાન છે.