અમદાવાદમાં નોકરીએ જતા નડિયાદના યુવક પર બસનું વહીલ ફરતા ઘટનાસ્થળેજ મોત
નડિયાદ: નડિયાદના જૂના બસ મથકમાં બુધવારે સવારે બસના વ્હીલ ફરી વળતાં યુવકનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે નડિયાદ શહેર પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદ શહેરના સંતરામ મંદિર પાછળ આવેલ વકીલ સોસાયટી ખાતે રહેતા ઘનશ્યામભાઇ (ઉ.વ.28) બુધવારે સવારે અમદાવાદ ખાતે નોકરીએ જવા માટે બસ મથકમાં બસ પકડવા માટે સવારે 7.30 વાગે પહોંચ્યા હતા.
ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબજો લઇ તેને પી.એમ. માટે મોકલી આપ્યો હતો અને ઘનશ્યામભાઇના પરિવારજનોને ઘટનાની જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. આ મામલે નડિયાદ શહેર પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર એસ.ટી. બસ નંબર જીજે-18-ઝેડ-2663 ના ચાલક વિરૂધ્ધ જયેશભાઇ છગનલાલ સોની (રહે.વકીલ સોસાયટી, સંતરામ મંદિર પાછળ,નડિયાદ) ની ફરિયાદના આધારે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.