News of Thursday, 24th May 2018
મહુધા તાલુકાના નિઝામપુરામાં નજીવી બાબતે એકને ઢોર માર માર્યો
મહુધા તાલુકાના નિઝામપુરા સીમમાં અશોકભાઈ અમરાભાઈ વાઘેલાના ખેતરમાં આજે બપોરે પીપળનું ઝાડ કાપતા હતા ત્યારે ઉસ્માનખા પઠાણ બકરીઓ ચારતો ચારતો ખેતરમાં લઈને જતો હતો ત્યારે અજયભાઈ અને અલ્પેશભાઈ ભોજાણીએ ખેતરમાં ઝાડ કાપતા હોઈ બકરીઓ લઈને ના આવીશ તેમ જણાવ્યું હતું. જેથી ઉસ્માનખાન પઠાણે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા ઉસ્માનખાન પઠાણે લાકડાનો દંડો મારી ઈજા કરી હતી તેમજ ગડદાપાટુ માર માર્યો હતો.
આ બનાવ અંગે વિષ્ણુભાઈ ધીરૂભાઈ ભોજાણીની ફરિયાદ આધારે મહુધા પોલીસે ઉસ્માનખાં બીસ્મીલ્લાખાન ઉમરખાન બિસ્મીલ્લાખાં તેમજ મહેબુબખાં બિસ્મીલ્લાખાં પઠાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
(6:00 pm IST)