કર્મચારીઓને જાહેર રજામાં રજાપ્રવાસ વતન પ્રવાસે રાહત યોજનાનો લાભ નહિં
કર્મચારીની દ્વિધા દુર કરતો નાણા વિભાગનો પરિપત્રઃ આગળ પાછળની જાહેર રજાના લાભ સાથે રાહત યોજનાનો લાભ મળવાપાત્ર
રાજકોટ તા. ૨૪: રાજયના નાણા વિભાગે જાહેર રજાના દિવસ દરમ્યાન રજાપ્રવાસ-વતન પ્રવાસ રાહત યોજનાના લાભ બાબતે સ્પષ્ટતા કરતો મહત્વનો પરિપત્ર ગઇકાલે તા ૨૩ મે એ વિભાગના નાયબ સચિવ શૈલેષ પરમારની સહીથી પ્રસિધ્ધ કર્યો છે.ઙ્ગ
પરિપત્રમાં જણાવાયુ છે કે, વેકેશન ખાતામાં નોકરી કરતા સરકારી કર્મચારીની બાબતમાં વેકેશનના સમયને રજા તરીકે ગણી રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત મેળવી શકશે. તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે. આ, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ જાહેર રજાના દિવસે મેળવી શકાય કે કેમ તે બાબતે સદરહુ નિયમોમાં કોઇ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ ન હોઇ અમુક વિભાગો/કચેરીઓ દ્વારા રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ જાહેર રજા દરમ્યાન મંજુર કરવામાં આવેલ હોવાની બાબત નાંણા વિભાગના ધ્યાન ઉપર આવેલ છે.
જાહેર રજા એ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો ૨૦૦૨ મુજબ રજાનો પ્રકાર ન હોવાથી જાહેર રજા દરમ્યાન રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરવાનો રહેતો નથી નાંણા વિભાગના તો૨૮/૮/૨૦૧૫ ના સંકલીત ઠરાવની જોગાવઇ ધ્યાને લેતા ભવિષ્યમાં, જાહેર રજાના દિવસ ખરમ્યાન રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ કોઇપણ સંજોગોમાં મંજુર કરી શકાશે નહીં પરંતુ આગળ-પાછળની જાહેર રજાના લાભ સાથે રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરી શકાશે તે પ્રમાણેની સુચનાઓ આથી સર્વે વહીવટી વિભાગો/ખાતાના વડાની કચેરીઓને આપવામાં આવેલ છે પરિપત્રની તારીખ સુધીના આ પ્રકારના કેસોને નિયમિત ગણી નિકાલ કરવાનો રહેશે.(૩.૪)