ગુજરાત
News of Thursday, 24th May 2018

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ :દર્દીના મોત બાદ પરિવારજનોએ તબીબોને લમધાર્યા

અપૂરતી સારવારના અભાવે દર્દીનું મોત થયાના આરોપ સાથે દર્દીના પરિવારે ડોક્ટરને માર માર્યો :હોસ્પિટલને પણ નુકશાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો હડતાલ પર ઉતાર્યા છે સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થતા દર્દીના પરિવારે ડોક્ટર પર અપૂરતી સારવાર ન કરવાથી દર્દીનું મોત થયાનો પરિવારજનો એ આક્ષેપ કરીને ડોક્ટરની સાથે મારામારી કરી હતી. ડોક્ટરોનું કહેવું છે કે વગર વાંકે તેની સાથે મારામારી કરવામાં આવી હોવાથી આખા સ્ટાફે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

  દર્દીના પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરો સાથે છૂટાહાથની મારામારી કરવામાં આવી હતી. જેના કારણે હોસ્પિટલને પણ નુકસાન પહોંચાડવામાં આવેલ છે. આ તરફ ડોક્ટરો તરફથી કહેવું છે કે તેમની કોઈ ભૂલ ન હોવા છતાં મારામારી કરવામાં આવી છે.

ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં આજ રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમની માંગણી છે કે તેમના સાથી ડોક્ટર સાથે મારામારી કરનાર પરિવારના સભ્યોની ધરપકડ કરવામાં આવે. તેમજ તેમના વિરૂધ્ધ જરૂરી પગલાં ભરવામાં આવે. આ ઘટના અંગે હાલમાં હોસ્પિટલના ડીન તરફથી કોઈ પણ પ્રક્રિયા આપવામાં આવી નથી.

(10:51 am IST)