સુરતમાં 2.25 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીના જામીન અદાલતે નામંજૂર કરી કેદની સજાની સુનવણી કરવામાં આવી
સુરત:શહેરમાં રૃ.2.25 લાખની કિંમતના લેશ-માલદોરીની ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે દોષી ઠેરવી કેદ-દંડનો હુકમ કર્યો હતો.
આજથી નવ વર્ષ પહેલાં ગજાનંદ નેરો ફેબ્રિક્સના નામે લેસ-માલદોરીનો ધંધો કરતાં ફરિયાદી રાહુલ અશ્વિનીકુમાર ઘીવાલાએ ધંધાકીય સંબંધોના નાતે આરોપી રાજેશ કિશોરચંદ્ર પીંડીવાલાને રૃ.2.30 લાખની કીંમતનો ઉધાર માલ આપ્યો હતો.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા ચેક રીટર્ન થતાં ફરિયાદી રાહુલ ઘીવાલાએ રાકેશ મૈસુરીયા તથા નૈતિક ચૌહાણ મારફતે આપેલી નોટીસનો અમલ ન કરતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.
આજે આ કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી 15 માસની કેદ તથા ફરિયાદીને રૃ.4 લાખ વળતર 30 દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે. જો આરોપી ન ચુકવે તો વધુ પાંચ માસની કેદની સજા ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.