મહેસાણામાં મોઢેરા ચોકડી પાસેના સંસ્કૃત શોપિંગ મોલની ટાંકીમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી
દુર્ગંધ આવતા તપાસ બાદ કોહવાયેલ હાલતમાં લાશ મળી :હત્યા કે આત્મહત્યા ?
મહેસાણાના શોપિંગ મોલમાં કોહવાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે પોલીસ હાલ આ મૃતદેહને કબ્જામાં લઇને હત્યા કે આત્મહત્યાને લઇને કાર્યવાહી કરી રહી છે.
આ ઘટનામાં શોપિંગ મોલમાં દુર્ગંધ મારતા તપાસ આદરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોવાયેલી હાલતમાં લાશ મળી આવી છે.અંદાજે ચારથી પાંચ દિવસથી લાશ પડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લાશને લઇને લોકોના ટોળા શોપિંગ મોલમાં એકઠા થયા હતા. પોલીસે આ ઘટનામાં હત્યાની થિયરી લાગી રહી છે. પોલીસને લાગી રહ્યું છે કે, હત્યા કર્યા બાદ મૃતદેહને ટાંકીમાં ફેંકી આરોપીઓ ફરાર થઇ ગયા હશે. પરંતુ ૪ થી ૫ દિવસ મૃતદેહ ટાંકીમાં પડ્યો રહેવાના કારણે કોહવાઇ ગયો હતો, જેના કારણે આખા શોપિંગ મોલમાં દુર્ગંધ મારવા લાગી હતી. આ ઘટનામાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.