ઠાસરા તાલુકામાં પત્નીને પરેશાન કરનાર શખ્સને બે વ્યક્તિએ મળી ધારિયાથી હુમલો કરતા ગુનો દાખલ
ઠાસરા: તાલુકાના કોટલીંડોરામાં પત્નીને હેરાન કરવાના આક્ષેપ સાથે બે વ્યક્તિઓએ ભેગા મળી એક યુવક પર ધારીયા વડે હુમલો કરતાં પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના કોટલીંડોરા ગામે ઝાલાપુરા તાબે છારીયામાં રહેતાં અશોકકુમાર ઉદેસિંહ ચાવડા ગતરોજ રાત્રિના પોણા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં. તે દરમિયાન ગામમાં જ રહેતાં વિક્રમસિંહ નટવરસિંહ ચાવડા અને નરવતસિંહ નટવરસિંહ ચાવડા તેમના ઘરે આવ્યાં હતાં. અને તુ મારી પત્નીને કેમ હેરાન કરે છે તેમ કહી વિક્રમસિંહે અપશબ્દો બોલી અશોકકુમારને ઠપકો આપ્યો હતો. ત્યારે ઘરમાં હાજર અશોકકુમારના માતા બઈજીબેને જણાવ્યું હતું કે તમારી પત્નીને અમે કાંઈ કહેલ નથી. જેથી નરવતસિંહ ચાવડા ઉશ્કેરાઈ ગયાં હતાં. અને નજીકમાં પડેલ ધારીયું લઈ આવી બઈજીબેન પર હુમલો કર્યો હતો.