ટ્રેકમેન અને ગેટમેનની બદલી તેમજ કપડાં એલાઉન્સ મુદ્દે અમદાવાદમાં 200 રેલ કર્મચારીના પ્રતીક ઉપવાસ
ગાંધીનગર: અમદાવાદમાં ૨૦૦ જેટલા રેલ્વે કર્મીઓ આજે ડીવીઝનલ રેલ્વે મેનેજરની ઓફીસ આગળ પ્રતિક ઉપવાસ પર બેઠા છે.રેલ્વે દ્વારા ટ્રેક મેન અને ગેટમેનની દુર અંતર સુધી કરવામાં આવેલી બદલીઓ અને કપડાં એલાઉન્સ ન મળતા કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર બેઠા છે.
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના સંગઠન મંત્રી સંજય સુર્યબલીએ જણાવ્યું કે, અમદાવાદ ડીવીઝન ટ્રેકમેન અને ગેટમેન, એન્જી. સેક્શન, અમદાવાદથી હિંમતનગર- ખેડબ્રહ્મા, રનુંજ, અમદાવાદ- મહેસાણા, આંબલીયાસન થી વિજાપુર, મહેસાણાથી તારંગા આ બધી નાની લાઈન હતી જે બ્રોડ ગેજ થઇ છે જે ૧.૫ વર્ષથી સેક્શન બંધ છે. આ બધા ટ્રેકમેન અને ગેટમેન સર પ્લસ થઇ ગયા છે. અમદાવાદ ડીવીઝનમાં ૩ હજાર જગ્યા ખાલી છે જેમાં ૮૦૦ ટ્રેકમેનની ખાલી છે જયારે આ બધાને અમદાવાદની જગ્યાએ બીજી જગ્યાએ બદલી કરી દીધા છે. આ બદલી કરનાર અધિકારી બદલી થઇ ગયા અને હવે નવા અધિકારી આવ્યા છે જેમણે આ લોકોને ઘરથી ૩૦૦ કિમી જેટલા દુર બદલી કર્યા છે જેમાં પૂર્વ સૈનિકો છે અને રેલ્વેમાં નોકરી કરી રહ્યા છે
સૂર્યબલીર વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત અત્યારે જે ૭મુ પગારપંચ આવ્યું જેમાં અમને કેશ પૈસા આપી દેવામાં આવે છે એમાં અમદાવાદ ડીવીઝન છોડી આખા દેશમાં બધે જ ઇન્ડીયન રેલ્વે કર્મીઓને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે અમને જ નથી મળ્યા આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે આજે સવારેથી સાંજ સુધી સાંકેતિક ભૂખ હડતાલ પર છીએ. આ સાંકેતિક ભૂખ હડતાલ DRM ઓફીસ અમદાવાદમાં થઇ રહ્યા છે જેમાં ૨૦૦ જેટલા રેલ્વે કર્મીઓ હાજર છે અને ઉપવાસ પર છે.