આસારામ નિર્દોષ છે તેમનો છુટકારો થશે :સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
રાષ્ટ્રવાદી લોકોને બદનામ કરાય છે અને સન્યાસીને બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ બતાવાયા હતા
સુરત :સુરત આવી પહોંચેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રવાદી લોકોને બદનામ કરાય છે તેમણે કહ્યું હતું કે સંન્યાસીને બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ બતાવાયા. આસારામ પણ નિર્દોષ છે. તેમનો નિર્દોષ છૂટકારો થશે. એટલુંજ નહિં તેમણે હેમંત કરકરેનું ધર્મ વિરુદ્ધ યુદ્ધમાં મોત થયું હતું તેમ કહ્યું હતું.
સુરતમાં સંબોધન કરતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ભગવા ધારીઓને આતંકી કહેવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભગવાધારીઓ પર બોમ્બ બ્લાસ્ટના આરોપ મુકીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે ભગવાધારીઓ પર બોમ્બબ્લાસ્ટનો આરોપ નાંખ્યો હતો. તેઓએ સંન્યાસીને માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા.
કોંગ્રેસ વિરુદ્ધ પ્રહાર કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રવાદી લોકોને બદનામ કરવામાં આવે છે. મને 13 દિવસ કાળકોઠરીમાં રાખી. 24 દિવસ સુધી મેં ભોજન નથી લીધું. હું જમાનત પર છું કો લોકોને દુઃખ છે. ઈટાલીવાળા બાઈ અને પપ્પુ જમાનત પર છે. ઈટલીવાળાને PM બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો. હું જામીન પર છું તો એ લોકોને દુઃખ છે.
પ્રજ્ઞા ઠાકુરે ATS પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા. ATSએ વર્દીમાં ગેરકાયદે કામ કર્યું હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ધર્મ વિરુદ્ધની લડાઈમાં હેમંત કરકરેનું મોત થયું છે. આતંકવાદીઓએ તેમને માર્યા છે. રાષ્ટ્રવાદ પર દમન થશે તો આતંકવાદથી મરશો. ઈતિહાસ શીખવા માટે જ બને છે તેવી વાતો પણ તેમણે કરી હતી.