હેતા શાહ કાલે સુરતમાં દિક્ષા ગ્રહણ કરશે
કેનાડાની નોકરી છોડી
વડોદરાઃ કેનેડાની પ્રાઈવેટ કંપનીમાં ઉચ્ચ પગારથી નોકરી કરનાર હેતા શાહ કાલે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગ અપનાવશે. મુળ વડોદરા રહેતી હેતાના ધામધમુથી વરઘોડો નિકળ્યો હતો. જમાં હેતાએ બધી સાંસરીક વસ્તુઓનો ત્યાગ કર્યો હતો અને ખુલ્લા હાથે વરસીદાન કર્યુ હતુ. હેતા કાલે બુધવારે સુરત ખાતે આ.ગુણરત્ન સૂરીશ્વરજી મ.સા.ના સાનિધ્યમાં દિક્ષા ગ્રહણ કરશે.
વડોદરામાં હાથીપોળમાં રહેતા દિનેશભાઈ શાહ ઘણા વળતથી કેનેડા સ્થાયી થયા છે. તેમને બે પુત્રો તથા એક પુત્રી હેતા છે. હેતાએ કેનેડામાં જ કેમેસ્ટ્રીમાં એમએસસીની ડિગ્રી મેળવી અને ત્યાં જ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરી રહી છે. આ દરમિયાન વડોદરા આવેલ હેતાએ આ. મુકિતદર્શન સૂરીશ્વર મ.સા.ના ઉપદેશ અને જૈનદર્શનના સંબંધમાં અભ્યાસનો છે. કરતા હેતાએ વૈરાગ્ય પ્રાપ્ત થતા દિક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો.