ગુજરાત
News of Tuesday, 24th April 2018

અંબાજીમાં લૂંટના ઇરાદે એસટી અને ખાનગી બસ ઉપર પથ્થરમારો

ડ્રાઈવર ગંભીર ઈજાગ્રસ્ત: અસામાજિક તત્વોએ બસમાં કરી તોડફોડ : મુસાફરોને લૂંટવાનો પ્રયાસ

અંબાજી: અંબાજીમાં લૂંટના ઈરાદે ખાનગી બસ અને એસટી બસ ઉપર  અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો જેમાં ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  આ ઘટના અંબાજી-હડાદ માર્ગ પર શિવદત્ત નાળા પાસેની બની છે. અસામાજીક તત્વોએ લૂંટના ઈરાદે બસ રોકીને તોડફોડ કરી હતી. અને મુસાફરોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આમ લૂંટના ઇરાદે તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જેથી સુરક્ષાને લઈને પણ અહીં કેટલાક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

જો કે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(3:39 pm IST)