ગુજરાત
News of Tuesday, 24th April 2018

ધોળકાના ગૂમ યુવક્ની સરપંચે 10 લાખની લેતીદેતી મામલે બે આરોપીઓ સાથે મળીને હત્યા કર્યાનું ખુલ્યું

ત્રણેયે ભરતભાઈનું અપહરણ કરીને માર માર્યો :પેટ્રોલ છાંટી લાશને સળગાવી નદીમાં દાટી દીધી

 

ધોળકાના ગૂમ યુવક્ની સરપંચે 10 લાખ રૂપિયાની લેતી દેતી મામલે બે આરોપીઓની સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાંનું ખુલ્યું છે ધોળકા પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ પરમારની ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી

તપાસ કરતા ધોળકાનાં સરપંચ જીતુભાઈ પરમાર, કૌશિકભાઈ પરમાર, વિક્રમભાઈ પરમાર ત્રણેય આરોપીઓએ ભરતભાઈનું અપહરણ કરીને તેઓને બરફની પાટ ઉપર સુવાડીને ઢોર માર માર્યો હતોબાદમાં પેટ્રોલ છાંટીને લાશને સળગાવી દેવાઇ હતી. નર્મદા જીલ્લાનાં પોઈચા ગામે નર્મદા નદીનાં પટમાં આરોપીઓએ ખાડો ખોદીને તેમાં લાશને દાટી દીધી હતી. આમ આરોપીઓએ 10 લાખ રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરી નાખી હતી.

     ધોળકા પોલીસે મારનાર ભરતભાઈનાં પત્ની ગીતાબેને કરેલી ફરિયાદની ઉંડાણપૂર્વક તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.ધોળકા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી.
  
પોલીસે ભરતભાઈની લાશને કડીમાં ભરતભાઈનાં પરિવારજનોને સોંપી દીધી હતી. ને બાદમાં લાશની અંતિમવિધિ કરાઇ હતી. આરોપીઓ સામે અપહરણ કરી હત્યા કરી હોવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

(11:06 pm IST)