ગુજરાત
News of Monday, 23rd April 2018

ઠાસરાના જલાનગરમાં લગ્નપ્રસંગે જમવા બાબતે બે પરિવાનો બાખડ્યા

ઠાસરા:તાલુકાના જલાનગરમાં લગ્ન પ્રસંગમાં જમવા બાબતે ઝઘડો થયો હતો. આ બનાવ અંગે ત્રણ ઈસમો સામે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના જલાનગરમાં ભદાબેન ખુશાલભાઈ રોહિતના પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગમાં જામીબેન ડાહ્યાભાઈ જમવા ગયા હતા ત્યારે જમવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં જામીબેન ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં. જેથી ઉગ્ર ઝઘડો થતા નયનાબેન કાંતિભાઈ રોહિત લાકડી લઈ આવી મારામારી કરી હતી. જેથી ભદાબેન તથા સ્નેેહાબેન છોડાવવા દોડી આવ્યા હતાં. ત્યારે જામીબેન તથા કાંતિભાઈ ડાહ્યાભાઈ રોહિતે છૂટા હાથે મારામારી કરી હતી. જેને લઈ લગ્ન પ્રસંગમાં અવ્યવસ્થા સર્જાઈ હતી.

બનાવ અંગે ભદાબેન ખુશાલભાઈ રોહિતની ફરિયાદ આધારે ઠાસરા પોલીસે જામીબેન ડાહ્યાભાઈ, નયનાબેન કાંતિભાઈ તથા કાંતિભાઈ ડાહ્યાભાઈ રોહિત સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:09 pm IST)