વડોદરામાં અગમ્ય કારણોસર ફરસાણના કારીગરે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા:શહેરના ગોરવા વિસ્તારમાં તળાવ સામે આવેલા મંગલદીપ એપાર્ટમન્ટમાં રાજસ્થાની યુવકે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવક ફરસાણનો કારીગર હતો અને મંગલદીપ એપાર્ટમેન્ટમાં જ આવેલી ફરસાણની દૂકાનમાં બે વર્ષથી નોકરી કરતો હતો. મૂળ રાજસ્થાનનો રહેવાસી એવો ૨૧ વર્ષનો જીતુ પુના શૈની નોકરી માટે વડોદરા આવ્યો હતો અને ગોરવા તળાવ સામે મંગલદીપ એપાર્ટમેન્ટમાં આવેલી ફરસાણની દૂકાનમાં કામે લાગ્યો હતો. ફરસાણની દૂકાનના ઉપરના માળે જ અન્ય કારીગરો સાથે તે રહેતો હતો. દરમિયાન શેઠના સંબંધીને ત્યાં મૃત્યુ થયું હોવાથી તે માટે ગુરૃવારે બપોરે જીતુએ પુરી શાક પણ બનાવ્યા હતા અને બપોર બાદ શેઠ માટે ચા બનાવવા માટે જીતુ ઉપરના માળે ગયો હતો. મોડી સાંજ સુધી જીતુ પરત નહી આવતા કારીગરોએ ઉપર જઇને તપાસ કરતા જીતુએ ફાંસો ખાઇ લીધો હતો.