ગુજરાત
News of Saturday, 24th March 2018

મુંબઈની યુવતીને પ્રેમજાળમાં ફસાવી પાલનપુરના યુવકે દુષ્કર્મ આચર્યું

પાલનપુર:ખાતે રહેતા એક યુવકે જારકર્મ કરવાના ઈરાદે મુંબઈમાં રહેતી એક યુવતિને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તે બાદ આ યુવકે યુવતિને પાલનપુર ખાતે લાવી મે-૨૦૧૭થી ૬ જાન્યુઆરી ૨૦૧૮ સુધીના સમયગાળામાં પાલનપુર ખાતેની એક હોટલમાં  દુષ્કર્મ આચર્યું હતું.    આ યુવકે યુવતિને લગ્ન કરવાની લાલચ આપી સતત બળાત્કાર ગુજારતાં પીડિત એવી આ યુવતિ તે બાદ યુવકના ચુંગાલમાંથી છૂટી પોતાના ઘરે મુંબઈ પહોંચી હતી. જ્યાં તેણે પાલનપુરના યુવકે તેને સાથે છેતરપિંડી કરી  બળાત્કારની વિગતો જાહેર કરી હતી. જે બાદ આ મામલે પીડિત યુવતિની ફરીયાદ આધારે મહારાષ્ટ્ર ખાતેની મુંબઈ પોલીસે જીરો નંબરથી આરોપી ઉત્તમભાઈ મનુભાઈ પુરબીયા, રહે.દિલ્હીગેટ પાલનપુરવાળાઓ વિરુદ્ધ બળાત્કાર તથા ધાક-ધમકીનો ગુનો નોંધ્યો હતો અને આ ગુનાનું ન્યાયીક કાયદાકીય ક્ષેત્ર પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન બનતું હોઈ તપાસ અર્થે આ ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસને મોકલી આપી હતી. જે મામલે પાલનપુર પૂર્વ પોલીસે ગુનો નોંધી ભાગેડુ એવા ઉત્તમભાઈ મનુભાઈ પુરબીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

(5:47 pm IST)