SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્ર –સંતોને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યા વારિધિ અને શાસ્ત્રીની પદવી એનાયત
અમદાવાદ તા. ૨૪ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠામ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્ર- સંત શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી ગુરૂ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સંસ્કૃતમાં "ઉપનિષદોના સંદર્ભમાં વચનામૃત ગ્રન્થનું સમીક્ષાત્મક અધ્યયન" એ દાર્શનિક વિષય પર સંશોધનાત્મક મહાનિબંધ રજૂ કરતા તેમજ વડતાલ સ્વામિનારાયણ મંદિરના ખાનદેશી સંત સ્વામી ધર્મપ્રકાશદાસજી સ્વામી (ગુરૂ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી) એ સ્વામિનારાયણ વેદાન્ત દર્શનમ્ માં ગોલ્ડ મેડલ સાથે શાસ્ત્રીની પદવી મેળવતા તેમજ સ્વામી અનંતપ્રકાશદાસજી સ્વામી (ગુરૂ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી)એ સ્વામિનારાયણ વેદાન્ત દર્શનમ્ માં શાસ્ત્રીની પદવી મેળવતા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલાધિપતિ અને મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ હસ્તે શાસ્ત્રીની પદવી અેનાયત કરવામાં આવેલ.