રાજ્યમાં કોરોનાના વળતા પાણી : વધુ 704 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 410 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 1 દર્દીનું મોત :મૃત્યુઆંક 4376 થયો : કુલ 2,50,056 લોકોએ કોરોનાને હરાવ્યો
રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 92 કેસ, સુરતમાં 85 કેસ,વડોદરામાં 86 કેસ, રાજકોટમાં 59 કેસ, જૂનાગઢમાં 11 કેસ, કચ્છમાં 10 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, ભરૂચમાં 7 કેસ, દાહોદ , જામનગર અને મહેસાણામાં 6-6 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 4665 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં 410 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 704 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા 1000થી ઓછી થઇ રહી છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 410 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 704 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,50,056 દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 1 વ્યક્તિનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4376 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 96,51 થયો છે
રાજ્યમાં હાલ 4665 એક્ટિવ કેસ છે. જેમાંથી 48 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 4617 દીઓ સ્ટેબલ છે,
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયુ છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 410 પોઝિટિવ કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 92 કેસ, સુરતમાં 85 કેસ,વડોદરામાં 86 કેસ, રાજકોટમાં 59 કેસ, જૂનાગઢમાં 11 કેસ, કચ્છમાં 10 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, ભરૂચમાં 7 કેસ, દાહોદ , જામનગર અને મહેસાણામાં 6-6 કેસ નોંધાયા છે