ગુજરાત
News of Monday, 23rd November 2020

સુરતમાં શાકભાજી ખરીદનારાઓની ભીડ ટાળવા મનપા અને પોલીસની ટીમ તૈનાત

પોલીસ દ્વારા સતત લાઉડસ્પીકર પર લોકોને કોરોના નિયમો પાળવા આપીલ

સુરતના એપીએમસી માર્કેટની બહાર  શાકભાજી ખરીદનારાઓની ભીડ એકઠી ના થાય તે માટે મનપા અને પોલીસની ટીમ તહેનાત કરાઈ છે. પોલીસ દ્વારા સતત લાઉડસ્પીકર પર લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરી રાખવા અપીલ કરાઈ રહી છે. ગઈકાલે શાકમાર્કેટમાં ભારે ભીડ ઉમટી હતી જેને લઈને તંત્ર ચિંતામાં હતુ કે કોરોના સ્ફોટ ના થાય. તેના માટે આજે વહેલી સવારથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ટીમ ખડે પગે છે.

(12:31 pm IST)