ગુજરાત
News of Monday, 23rd November 2020

નર્મદા જિલ્લામાં રવિવારે 8 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1441 પર પહોંચ્યો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા રવિવારે 08 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે જેમાં રાજપીપળા- 01, નાંદોદ તાલુકાના વડિયામાં-03, નિકોલી માં-02 અને કરાઠામાં -02 મળી નર્મદા જિલ્લામાં કુલ.08 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે 10 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 20 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 26 દર્દી દાખલ છે.આજરોજ 04 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1377 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1441 પર પહોચ્યો છે.આજે વધુ 461 સેમ્પલ ચકાસણી હેઠળ છે

(11:15 pm IST)