ગુજરાત
News of Saturday, 23rd November 2019

પોર્ટુગલ દસ્તાવેજને લગતી સમસ્યાઓ નિવારવા પોર્ટુગલ દૂતાવાસના અધિકારી દીવની મુલાકાતે

સીટીઝન કાર્ડ (B.I) અને પોર્ટુગીઝ પાસપોર્ટ રિન્યૂ અને નવાની અરજી સ્વીકારશે

 

દીવની જનતાની પોર્ટુગલ દસ્તાવેજને લગતી અનેક સમસ્યાઓ હોય છે. જેના માટે ગોવા સ્થિત પોર્ટુગલ વાણિજય દૂતાવાસ જવું પડે છે સમસ્યાઓ અને નવા કામો દીવમાં થાય તે માટે ગોવા સ્થિત પોર્ટુગલ દૂતાવાસ દર વર્ષે દીવ આવી અને પોર્ટુગલ દસ્તાવેજ અંગેની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કરે છે. દૂતાવાસની ટીમ ૨૫ નવેમ્બર સોમવાર ના રોજ દીવમાં રોકાણ કરશે. દૂતાવાસ દ્વારા વખત સીટીઝન કાર્ડ (B.I) અને પોર્ટુગીઝ પાસપોર્ટ રિન્યૂ અને નવાની અરજી સ્વીકારશે.

(12:09 am IST)