સુરતના પુણાગામ વિસ્તારમાં ઘર કંકાસથી ત્રાસેલા પતિએ પત્ની અને બે બાળકો પર એસિડ એટેક કર્યો : પત્નીનું મોત
દીકરીએ આંખ ગુમાવી : દીકરાની હાલત ગંભીર : આરોપી પિતાની ધરપકડ
સુરતના પુણાગામ વિસ્તારમાં ઘર કંકાસથી ત્રાસેલા પતિએ પત્ની અને બે બાળકો પર એસિડ એટેક કર્યો હતો.જેમાં પત્નીનું કરૂણમોત નીપજ્યું હતું જયારે દીકરીએ આંખ ગુમાવી છે અને દીકરાની હાલત ગંભીર જણાવાઈ રહી છે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે
આ અંગેની વિગત મુજબ સુરતના પુણાગામ વિસ્તારની હરિધામ સોસાયટીમા રહેતા ઇશ્વર વાળાનો અવારનવાર તેની પત્ની સાથે ઘર કંકાસ થી ઝઘડો થતો હતો આઠ ઓગસ્ટના રોજ ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઇશ્વર વાળાએ હીરા સાફ કરવા માટે વાપરવામા આવતી બે એસિડની બોટલ ખરીદી પોતાની સાથે લઇ ગયો હતો. જ્યા રાત્રિ દરમિયાન ઘરમા સૂતા પત્ની અને બે બાળકો પર એસિડ એટેક કરી ત્યાથી ભાગી છુટયો હતો.
આ ઘટનામા પત્નીનુ સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. જ્યારે દિકરીને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. હજી દિકરાની હાલત ગંભીર હોય તે હોસ્પિટલમા સારવાર અર્થે છે.
આ બનાવમા પુણા પોલીસે ઇશ્વર વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમબ્રાચે બાતમીના આધારે ઇશ્વર વાળાને બસ ડેપો પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસ પુછપરછમા આ ત્રણ મહિના તે જુનાગઢ, રાજસ્થાન, દિલ્હી, મુંબઇના રેલ્વે સ્ટેશન પર સુઇ રહેતો હતો.જો કે હાલ તો આરોપી પિતાની ધરપકડ કરી આગળ કાર્યવાહી વરાછા પોલીસે હાથ ધરી છે.