News of Wednesday, 23rd October 2019
અમદાવાદના ભુલાભાઇ સર્કલ નજીક મકાનનો સ્લેબ ધરાશાયી :એક મહિલાનું મોત : બે ગંભીર
માયાબેન પંચાલનું કરૂણમોત : અન્ય કેટલાકને નાની મોટી ઇજા
અમદાવાદના ભુલાભાઇ સર્કલ નજીક મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે આ અંગે મળતી વિગત મુજબ એક મકાનનો સ્લેબ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે જ્યારે કેટલાક લોકોને ઇજા પહોંચી છે. જેમાં બે ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
અમદાવાદના ભુલાભાઈ સર્કલ નજીક એક મકાનનો ભાગ ધરાશાયી થયો છે. જેમાં માયાબેન પંચાલ નામના મહિલાનું મોત નીપજ્યું છે. અન્ય કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
(12:40 am IST)