News of Tuesday, 23rd October 2018
તલાટીની કામગીરી શિક્ષકોને સોંપાતા કચવાટ :આવી કોઈ કામગીરી નહીં સ્વીકારો :શિક્ષક સંઘનો આદેશ
અમદાવાદ :ગુજરાતમાં તલાટીઓ તેમની માંગણીઓને લઈ હડતાળ પર છે. ત્યારે રાજયમાં કેટલાક ગામોમાં તલાટીના કામની જવાબદારી શિક્ષકોને સોંપવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયને લઈ શિક્ષકોમાં કચવાટ પેદા થયો છે. જેને લઈ ગુજરાત રાજય શિક્ષક સંઘ એકશનમાં આવ્યું છે.
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા આ પ્રકારની કામગીરી ન સ્વીકારવા માટે રાજયના તમામ જિલ્લાના શિક્ષક સંઘના હોદ્દેદારોને લેખિતમાં જાણકારી આપી છે. જે ફરજ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ન આવતી હોય તેવા કામો ન કરવા માટે ગુજરાત રાજય શિક્ષક સંઘ દ્રારા આદેશ કરવામા આવ્યો છે
(12:15 am IST)