ગુજરાત
News of Tuesday, 23rd October 2018

સુરતના ડભોલી સ્વામિનારાયણ મંદિરના સાધુ પર દુષ્કર્મનો આરોપ

પીડિતાને તેની માતાની સારવાર માટે રૂપિયાની મદદ કરવા આપ્યું હતું વચન

 

સુરતમાં ડભોલી સ્વામિનારાયણ મંદિરના એક સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે સાધુની અટતાયત કરી છે. 24 વર્ષના સાધુએ યુવતીનું બે વખત શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. માતાની સારવાર માટે રૂપિયાની મદદ કરી આપવાના બહાને યુવતી પર બે વાર દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આરોપ છે.

  પીડિતાએ કતારગામ પોલીસ મથકમાં સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે સાધુની અટકાયત કરી છે. જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી .

(11:49 pm IST)