ગુજરાત
News of Tuesday, 23rd October 2018

ભરૂચમાં મચ્છરોના ઉપદ્રવ વધતા હલ્લાબોલ : પોલીસકર્મીઓ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ઉગ્ર આંદોલન સાથે પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી

ભરૂચમાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો વકર્યો હોવાના આક્ષેપ સાથે વિપક્ષે લીમડાની ધૂણી સાથે હલ્લાબોલ કર્યો હતો.આ સમયે પાલિકા ખાતે પોલીસ કર્મીઓ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

   કોંગ્રેસે જંતુનાશક પાવડરનો છંટકાવ કે ફોગીંગ મશીનનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરવામાં આવતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ફોગીંગ મશીન બગડેલા હોવાનું કહીને કોંગ્રેસે સફાઈ થતી ન હોવાના આક્ષેપ કર્યો હતો અને ઉગ્ર આંદોલન સાથે તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી.

(9:11 pm IST)