ગુજરાત
News of Tuesday, 23rd October 2018

અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે થયેલ ઝઘડામાં યુવકને લાકડીથી ઢોર માર મારવામાં આવ્યો

અમદાવાદ:નવરંગપુરામાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતા ત્રણ શખ્સોએ લાકડી વડે એક યુવકને ઢોર માર માર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી આ બનાવની વિગત મુજબ વાસણામાં રિવર સાઈડ પાર્કમાં રહેતો રૃતુરાજસિંહ ઝાલા (૨૪) ૨૧ ઓક્ટોબરના રોજ સવારે તેના મિત્રો સાથે નવરંગપુરામાં સીએનજી પેટ્રોલ પંપની પાછળ આવેલા એ.જી.ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો.

ક્રિકેટ રમતી વખતે બોલ આપવા બાબતે ગ્રાઉન્ડમાં હાજર પ્રફુલ દેસાઈ ઉર્ફે ફુલો રબારી સાથે ઝઘડો થયો હતો. જોકે તે સમયે તેમની વચ્ચે સમાધાન થઈ ગયું હતું. દરમિયાન રૃતુરાજસિંહ ઘરે જવા તેના મિત્રનું બાઈક લેવા ગયો ત્યારે મારા ભાઈ સાથે કેમ મગજમારી કરે છે કહીને એક શખ્સે તેને ગાળાગાળી કરી હતી.

(4:59 pm IST)